Forest Guard: ગુજરાતના સાંસ્કૃતિક વનો, સંપૂર્ણ માહિતી અહીંથી જાણો..

• વન મહોત્સવ ભારત સરકાર દ્વારા ઉજવવામાં આવતો વૃક્ષારોપણનો મહોત્સવ છે,
• ભારતમાં વન મહોત્સવ પ્રણેતા - કનૈયાલાલ મુનશી, 
• ભારતમાં વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950 થી થઇ હતી.
• ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણીની શરૂઆત વર્ષ 2004 થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી.
• વન મહોત્સવ અંર્તગત અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 22 સાંસ્કૃતિક વનો બનાવવામાં આવ્યાં છે. 
• વન મહોત્સવની ઉજવણી દર વર્ષે જુલાઇ માસમાં કરવામાં આવે છે.


૧. પુનિત વન

• સ્થાપના : 6 જુલાઇ, 2004
( 55મો વન મહોત્સવ )
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી
• સ્થળ : ગાંધીનગર 

• ગાંધીનગરના સંત પુનીત મહારાજની યાદમાં બનાવવામાં આવ્યું હતું.
• ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન છે. 
• આ વન 6 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે.
• પુનિત વનમાં નક્ષત્ર વન, રાશિ વન, નગગ્રહ વન, પંચવટીની રચના કરવામાં આવેલ છે. 
• આ વનમાં શિવલિંગ જેવો આકાર દેખાય તે પ્રમાણે બીલીનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે.

૨. માંગલ્ય વન

• સ્થાપના : વર્ષ2005
(56મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી
સ્થળ: અંબાજી (જિ.બનાસકાંઠા)

• નવ પરણિત 501 નવયુગલો દ્વારા કરવામાં આવેલ વૃક્ષ વાવેતર એ માંગલ્ય વનનો ચિરસ્મરણીય પ્રસંગ છે.
• જુદા-જુદા રંગના રોપાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ “ઓમ આકારની" ઓમ વાટિકા તથા સરોવરના એક કિનારેથી સામેના કિનારે જવા માટે બનાવેલ લાકડાનો “ગાર્ડન બ્રિજ' આ સેવાનું અનેરું આકર્ષણ છે.

૩. તીર્થંકર વન

• સ્થાપના : વર્ષ 2006 (57મો વન મહોત્સવ)
• સ્થળ તારંગા (જિ. મહેસાણા)
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી

• તારંગા ખાતે ભગવાન અજિતનાજાનું પૌરાણિક મંદિર છે. (બાંધકામ સોલંકી રાજા કુમારપાળ દ્વારા)
• આ સ્થળ જૈન ધર્મનું મહત્ત્વનું યાત્રાધામ હોવાથી અહીં કેવલી વૃક્ષો ધરાવતું ‘તીર્થંકર વન' તૈયાર કરવામાં આવેલ છે. આ વન 5.4 હેક્ટર જમીનમાં ફેલાયેલું છે.

૩. હરિહર વન

• સ્થાપના : વર્ષ 2007 (58મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
• સ્થળ: સોમનાથ (જિ. ગીર સોમનાથ) 

• આ વન 1.6 હેક્ટરમાં ફેલાયેલું છે. 
• અહીં શિવપંચાયતન વન, શ્રી કૃષ્ણ ગોલોક ધામ વન, હરિશંકર વન, રૂદ્રાક્ષ વન, જ્યોતિર્લિંગ વન, સપ્તર્ષિ વન, પંચવલ્કલ સ્મૃતિ વન જેવી વૃક્ષ વાટિકાઓ તૈયાર કરવામાં આવેલ છે.
• હરિહર વન દરિયા કિનારે આવેલું તેમજ નાનું સાંસ્કૃતિક વન હોવા છતાં અનેક લોકોના આકર્ષણનું કેન્દ્ર છે.

૪. ભક્તિ વન

• સ્થાપના : 2008 (59મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી 
• સ્થળ : ચોટીલા (જિ. સુરેન્દ્રનગર)

• ચોટીલાના ડુંગર ઉપર 'માં ચામુંડા' નું સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. - નીરોગી બાળ વર્ષ' ને ધ્યાનમાં રાખી આયુર્વેદિક મહત્ત્વ ધરાવતી વિવિધ વનસ્પતિઓનું 'નીરોગી બાળ વન' ઊભું કરવામાં આવેલ છે.
• 'ભક્તિ વન' નો વિસ્તાર 5. ફેક્ટર છે.

૫. શ્યામલ વન

• સ્થાપના : વર્ષ 2009 (50મો વન મહોત્સવ) 
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી
• સ્થળ : શામળાજી (જિ. અરવલ્લી)

• અહીં ‘ભગવાન વિષ્ણુ' નું વિખ્યાત મંદિર આવેલું છે.
• કોપીસીંગ પ્રકારના વૃક્ષ આવરણ ધરાવતા બે ડુંગરોની વચ્ચે આ વન આવેલું છે, જે શ્યામલ વનની સુંદરતામાં વધારો કરે છે.

૬. પાવક વન

• સ્થાપના : વર્ષ 2010 (61મો વન મહોત્સવ )
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી
• સ્થળ : પાલિતાણા (જિ.ભાવનગર)

• પાલિતાણાના જૈન ધર્મનું પ્રસિદ્ધ યાત્રા ધામ છે. 
• આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકસાવી વૃક્ષોના રક્ષણ સંરક્ષણ અંગે આપણી સંસ્કૃતિ - પ્રથાથી લોકોને માહિતગાર કરવાનો મુખ્ય ઉદેશ્ય સમાયેલો છે.
• 'પાવક વન' માં 95 જાતનાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. 
• જેમાં મુખ્યત્વે વડ, બોરસલી, બીલી, પીપળો, ઉંમરો, મહુડો, ગરમાળો, કડાયો, ગુગળ, કદમ્બ, ડમરો, તુલસી, વાંસ વગેરેના રોપાનું વાવેતર થાય છે.

૭. વિરાસત વન

• સ્થાપના : વર્ષ 2011 (62મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી
• સ્થળ : પાવાગઢ (જિ. પંચમહાલ)

• પાવાગઢ આધ્યાત્મિક, ઔતિહાસિક, ભૂસ્તરીય, પુરાતત્ત્વીય મહત્ત્વ અને સુંદરતમ પરિસર ધરાવે છે,
• આ વિસ્તારને યુનેસ્કો દ્વારા 2004 માં વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરેલ છે.
• લોકોને વૃક્ષ ઉછેર સાથે સાંકળવાના હેતુસર આ સાંસ્કૃતિક વનને નીચે જણાવ્યા મુજબની 7 થીમ આધારિત વિકસાવેલ છે. • (1) આનંદ વન, (2) આરોગ્ય વન, (3) આરાધ્ય વન, (4) સાંસ્કૃતિક વન, (5) આજીવિકા વન, (6) નિસર્ગ વન, (7) જૈવિક વન

૮. ગોવિંદ ગુરુ સ્મૃતિવન

• સ્થાપના : વર્ષ 2012 (63મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી
• સ્થળ : માનગઢ, તા. સંતરામપુર (જિ. મહીસાગર)

• આ સ્થળે અંગ્રેજોની વેઠ- મજૂરી વિરુદ્ધ અવાજ બુલંદ કરનાર ‘ગોવિંદ ગુરુ' ના નેતૃત્વ હેઠળ તા. 17 નવેમ્બર, 1913 ના રોજ અંદાજે 1500 થી વધારે આદિવાસીઓએ શહિદી વહોરી હતી.
•  આ બલિદાન ભાવી પેઢીને હર હંમેશા ચિરસ્મરણીય અને પ્રેરણા સ્રોત બની રહે તે હેતુસર માનગઢની પવનભૂમિ પર *ગોંવિદ ગુરુ સ્મૃતિવન' નું નિર્માણ 5.00 હેક્ટરની જમીન માં કરવામાં આવ્યું છે.

૯. નાગેશ વન

• સ્થાપના : વર્ષ 2013 (64મો વન મહોત્સવ)
•મુખ્યમંત્રી : નરેન્દ્ર મોદી
• સ્થળ : નાગેશ્વર જ્યોતિર્લિંગ (જિ. દેવભૂમિ દ્વારકા)

• અહીં નાગેશ્વર મંદિરની બાજુમાં 300 મીટર દૂર 6 હેક્ટર વિસ્તારમાં 'નાગેશ વન' નું નિર્માણ કરવામાં આવેલ છે.
• ભગવાન શ્રી કૃષ્ણએ દારુકા રાક્ષસનો વધ આ સ્થળે કરેલ હતો, જેની યાદમાં ‘દારુક વન' ઊભું કરવામાં આવેલ છે.
• ઉપરાંત માન સરોવરના ફરતે તેની પાળ ઉપર જાંબુ, અર્જુન સાદડ, વડ, પીપળ અને દેશી બાવળનું વાવેતર કરીને સુશોભિત કરવામાં આવેલ છે.

૧૦. શક્તિ વન

• સ્થાપના : વર્ષ2014 (65મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ 
• સ્થળ : ખોડલધામ, કાગવડ તા. જેતપુર (જિ. રાજકોટ)

૧૧. જાનકી વન

• સ્થાપના : વર્ષ 2015 (66મો વન મહોત્સવ)  
• મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
• સ્થળઃ ભિનારગામ તા.વાસદા (જિ. નવસારી) 

• 9,64 હેક્ટર ગૌચર અને 6 હેક્ટર રીઝર્વ ફોરેસ્ટ મળીને કુલ 15,64 હેક્ટર વિસ્તારમાં “જાનકી વન” ફેલાયેલું છે
• આ વનમાં આદિવાસી લોક નૃત્યના વાજિંત્રોનું મ્યુરલ (ભીંતચિત્ર) તથા આદિમાનવનું મ્યુરલ, નારીશક્તિ શિલ્પ, ઉનાઇ માતાજીનું મ્યુરલ, વાંસની વિવિધ બનાવો ઉપરાંત મેઇન પ્રવેશદ્વાર, વાલ્મિકી કુટીર, વગેરે પણ બનાવવામાં આવેલ છે.

૧૨. મહીસાગર વન

• સ્થાપના : વર્ષ 2016 (67મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ • સ્થળ: વહેરાની ખાડી (જિ. આણંદ)

• 6 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. ‘મહિસાગર વન' માં રાશી વન, નક્ષત્ર વન, ચંદન વન, નારિયેળી વન, કદમ્બ વન, નવગ્રહ વન જેવા નિર્માણ કરવામાં આવેલ છે.
• આ વનમાં સરદાર પટેલનું સ્ટેચ્યું, ભીંતચિત્રોથી અંકિત કૂવો, સારસ પક્ષીઓનાં પૂતળા પણ જોવા મળે છે.

૧૩. આમ્રવન

• સ્થાપના : વર્ષ 2016 (67મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
• સ્થળ : બાલચૌઢીં કપરાડા (જિ.વલસાડ) 

૧૪. એક્તા વન

• સ્થાપના : વર્ષ 2016 (67મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
• સ્થળ : મોતા, તા. બારડોલી, (જિ.સુરત)

• સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં, 1 હેકટરના વિસ્તારમાં આ વન આવેલું છે.

૧૫. શહીદ વન

• સ્થાપનાઃ વર્ષ 2016 (67મો વન મહોત્સવ) 
• મુખ્યમંત્રી : આનંદીબેન પટેલ
• સ્થળ : ભૂચર મોરી તા. ધ્રોલ (જિ. જામનગર)

• ભૂચર મોરીના યુદ્ધમાં થયેલા શહીદોની યાદમાં આ વનનું નિર્માણ કરવામાં આવેલ છે.

૧૬. વીરાંજલિ વન

• સ્થાપના : વર્ષ 2017 (68મો વનમહોત્સવ)
• મુખ્યમંત્રી : વિજયભાઇ રૂપાણી 
• સ્થળ : પાલ, તા. વિજયનગર (જિ.સાબરકાંઠા)

૧૭. રક્ષક વન

• સ્થાપના : વર્ષ 2018 (69મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : વિજયભાઇ રૂપાણી
• સ્થળ : રૂદ્રમાતા, તા. ભૂજ (જિ. કચ્છ)

• ઇ.સ. 1971માં ભારત- પાકિસ્તાનના યુદ્ધ સમયે માધાપર ગામની 300 બહેનોએ તત્કાલીન એરોડ્રામના રન-વેની મરામત કરી આપી હતી, તેની યાદમાં આ વનનું નિર્માણ કરાયું હતું.

૧૮. જડેશ્વર વન

• સ્થાપનાઃ વર્ષ2019(70મો વન મહોત્સવ)
• મુખ્યમંત્રી : વિજયભાઇ રૂપાણી
• સ્થળ : ઓઢવ, તા. દસક્રોઇ (જિ. અમદાવાદ)

૧૯. રામ વન

• સ્થાપના : 2 ઓગસ્ટ, 2020 (71મો વન મહોત્સવ)
• સ્થળ : આજીડેમ (જિ.રાજકોટ)
• મુખ્યમંત્રી : વિજયભાઇ રૂપાણી

• ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન છે.
• શક્તિવન બાદ રાજકોટ જિલ્લાનું બીજું સાંસ્કૃતિક વન છે.
• શ્રી રામમંદિર (અયોધ્યા)ના શિલાન્યાસની સ્મૃતિ ઈતિહાસમાં સચવાઈ રહે તે માટે આ વનનું નામ રામાયન આપાયું છે.

૨૦. મારુતિનંદન વન

• સ્થાપના વર્ષ : 2021 (72મો વન મહોત્સવ) 
• સ્થળ : કલગામ, તા. ઉમરગામ (જિ. વલસાડ)
• મુખ્યમંત્રી : વિજયભાઇ રૂપાણી 

• ગુજરાતનું21મુંસાંસ્કૃતિક વન છે. 
• આ વન 10 એકર જમીન માં ૭ મીટર લાંબા અને ૭ મીટર ઉંચાઇ ધરાવતા ધોલપુર સ્ટોન લગાવેલા પ્રવેશદ્વાર વાળુ બનાવવામાં આવેલ છે.

૨૧. વટેશ્વર વન

• સ્થાપના : વર્ષ 2022 (73મો વન મહોત્સવ)
• સ્થળઃ દૂધરેજ(જિ. સુરેન્દ્રનગર) 
• મુખ્યમંત્રી : ભૂપેન્દ્રભાઇ પટેલ

• ભગવાન વડવાળાના નામ પરથી આ વનનું નામ 'વટેશ્વર વન' રાખવામાં આવ્યું છે, અહીં 5 હેક્ટર વિસ્તારમાં 13 હજારથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. 
• વટેશ્વર વન આયુર્વેદ અને યોગની થીમ પર આધારિત વન છે.

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨