ગુજરાતમાં આવેલી સાહિત્ય સંસ્થાઓ || પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા) || નર્મદ સાહિત્ય સભા (સુરત)

(૧). પ્રેમાનંદ સાહિત્ય સભા (વડોદરા) 

પ્રેમાનંદ સાહિત્ય સભા

સ્થાપના :- ઇ.સ. 1916 વડોદરા સાહિત્ય સભા
ઇ.સ. 1944
પ્રેમાનંદ સાહિત્ય સભામાં રૂપાંતર

---> ગુજરાતી ભાષાના વિકાસ અર્થે ઇ.સ. 1916માં વડોદરા ખાતે વડોદરા સાહિત્ય સભાની સ્થાપના થઈ.

---> જે વડોદરા સાહિત્ય સભાને ઇ.સ. 1944માં પ્રેમાનંદ સાહિત્ય સભા નામ મળ્યું.

---> ગુજરાતી ભાષાનાં સાહિત્યને ઉત્તેજન આપવા પ્રેમાનંદ સાહિત્ય સભા સાહિત્યિક ગ્રંથોનું પ્રકાશન તેમજ સાહિત્યકારોની જયંતીઓની ઉજવણી કરે છે.

---> પ્રેમાનંદ સાહિત્ય સભાએ પ્રેમાનંદ, શામળ, અખો જેવા સાહિત્યકારોના ગ્રંથોનું પ્રકાશન કર્યું છે. 

---> પ્રેમાનંદ સાહિત્ય સભા દ્વારા ‘સાહિત્યકાર' નામક સામયિક પ્રકાશિત થતું હતું.

(૨). નર્મદ સાહિત્ય સભા (સુરત) 

નર્મદ સાહિત્ય સભા

સ્થાપના :- ઇ.સ. 1923 (ગુજરાતી સાહિત્ય મંડળ) ઇ.સ. 1939 (નર્મદ સાહિત્ય સભામાં રૂપાંતર)

---> ઇ.સ. 1923માં સુરત ખાતે ગુજરાતી સાહિત્યિક મંડળની સ્થાપના થઈ. જે સંસ્થાને ઈ.સ. 1939માં નર્મદ સાહિત્ય સભા નામ મળ્યું.
 
---> નર્મદ સાહિત્ય સભા ધારા હેમચંદ્રાચાર્ય સારસ્વત મહોત્સવ, કવિ કાલિદાસ સમારોહ, મૂળરાજ સોલંકી સહસ્ત્રાબ્દી જેવા કાર્યક્રમો યોજી ગુજરાતી સાહિત્યને વેગ આપ્યો હતો.

---> નર્મદ સાહિત્ય સભા દ્વારા નિબંધ, ઇતિહાસ, નાટક, કવિતા વગેરે જેવા ઉત્તમ સર્જન બદલ ઇ.સ. 1940થી નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થાય છે.

(૩). સાહિત્ય સંસદ 

સાહિત્ય સંસદ

સ્થાપક :- કનૈયાલાલ મુનશી

---> કનૈયાલાલ મુનશીએ ‘સાહિત્ય સંસદ' સંસ્થાની સ્થાપના કરી હતી.

---> સાહિત્ય સંસદ સંસ્થાના ઉપક્રમે ગુજરાતનો મધ્યકાલીન સાહિત્ય પ્રવાસ નામક સંશોધન ગ્રંથ પ્રગટ થાય છે.

---> સાહિત્ય સંસદ દ્વારા ‘ગુજરાત' માસિક અને ત્રૈમાસિક ચલાવાય છે.

(૪). બુદ્ધિવર્ધક સભા (સુરત) 

બુદ્ધિવર્ધક સભા

સ્થાપના :- ઇ.સ. 1851, 1923 
સ્થાપક :- કવિ નર્મદ

---> કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી.

---> આ સંસ્થાના આશ્રયે તેમણે ‘મંડળી મળવાથી થતાં લાભ' નામનું પ્રખ્યાત વ્યાખ્યાન આપ્યું. જે કવિ નર્મદનું પ્રથમ ગદ્ય લખાણ છે.

(૫). ગુજરાત સંશોધન મંડળ (મુંબઈ) 

ગુજરાત સંશોધન મંડળ

સ્થાપક :- પોપટલાલ શાહ 
પ્રકાશન :- ગુજરાત સંશોધન મંડળ જર્નલ

---> પોપટલાલ શાહે સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળી રહે તે માટે સંમેલનો યોજી મુંબઈમાં ગુજરાત સંશોધન મંડળની સ્થાપના કરી હતી.

---> ‘ગુજરાત સંશોધન મંડળ જર્નલ’નામક ત્રૈમાસિક પ્રગટ થાય છે.

(૬). ભારતીય વિધાભવન (મુંબઈ) 

ભારતીય વિદ્યાભવન 

સ્થાપક :- કનૈયાલાલ મુનશી

---> કનૈયાલાલ મુનશીએ ‘સાહિત્ય સંસદ’ પશ્ચાત ‘ભારતીય વિદ્યાભવન' નામક બીજી સંસ્થાની સ્થાપના કરી હતી.

---> ભારતીય વિદ્યાભવન ભારતીય ભાષાઓ, સાહિત્ય અને સંસ્કૃતિના સંવર્ધનનું કાર્ય કરે છે.

---> શામળ અને પ્રેમાનંદના ગ્રંથોનું સંશોધનાત્મક કાર્ય ‘ભારતીય વિદ્યાભવન' દ્વારા થયું છે.





 

Post a Comment

0 Comments

Featured post

History of Gujarat Part - 2; ગુજરાત નો સંપૂર્ણ ઈતિહાસ પાર્ટ-: ૨